Pages

Search This Website

Saturday, August 18, 2018

હવે ATMમાં ભૂલથી પણ કેશ કાઢવા સવારે ન જતા, નહીંતર પસ્તાશો

હવે ATMમાં ભૂલથી પણ કેશ કાઢવા સવારે ન જતા, નહીંતર પસ્તાશો


કેન્દ્ર સરકારે ATM સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં જણાવાયું છે કે શહેરી વિસ્તારમાં રાત્રે 9 વાગ્યા બાદ ATMમાં કેશ નહીં ભરવામાં આવે. એક કેશ વાનમાં સિંગલ ટ્રિપમાં 5 કરોડથી વધારે રૂપિયા નહીં હોય. આ સિવાય કેશ વાનમાં તૈનાત કર્મચારીઓ પર હુમલા, કેશ વાનનો પીછો કરતાં ગુંડાતત્વો અને અન્ય ભયનો સામનો કરવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે.
  • કેશ વાનમાં હવે CCTV, લાઈવ GPS ટ્રેકિંગ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સિક્યુરિટી ગાર્ડ જરૂરી
  • દરેક કર્મચારીઓના બેકગ્રાઉંડની તપાસ કરવા માટે તેમના આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે
  • ગુંડાતત્વો અને અન્ય ભયનો સામનો કરવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે

ગૃહ મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે કેશ ટ્રાંસપોર્ટ સાથે જોડાયેલા દરેક કર્મચારીઓના બેકગ્રાઉંડની તપાસ કરવા માટે તેમના આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, ગ્રામીણ ક્ષેત્રોમાં સાંજે 6 વાગ્યા બાદ કોઈપણ ATMમાં કેશ નહીં ભરવામાં આવે. દરેક કેશ વાનમાં હવે CCTV, લાઈવ GPS ટ્રેકિંગ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સિક્યુરિટી ગાર્ડ જરૂરી છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment