Pages

Search This Website

Saturday, August 25, 2018

26મી ઓગસ્ટે રક્ષાબંધન, જાણો ક્યાં મુહૂર્તમાં ભાઈને બાંધવી રાખડી

26મી ઓગસ્ટે રક્ષાબંધન, જાણો ક્યાં મુહૂર્તમાં ભાઈને બાંધવી રાખડી



રક્ષાબંધન 26મી ઓગસ્ટે મનાવવામાં આવશે. જો કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુનમ ભાંગી તિથિ છે. તેથી રક્ષાબંધન 25મીની બપોરથી શરૂ થઈ જશે. જોકે આપણે ત્યાં તે 26મી તારીખે મનાવવામાં આવશે.  જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો વાત કરીએ તો પુનમ તિથિ 25 ઓગસ્ટે બપોરના 3:16 મિનિટે શરૂ થશે. 26 ઓગસ્ટ સાંજે 5:25 મિનિટ સુધી રહશે. આ દિવસે, ધનિષ્ઠ નક્ષત્ર 12.35 વાગ્યા સુધી રહેશે.
એવું માનવામાં આવે છે કે પંચકમાં શુભ કાર્યનો નિષેદ નથી.  રક્ષાબંધનના દિવસે ધનિષ્ઠા નક્ષત્ર  અને પંચક છે છતાં રાખડી બાંધવામાં કોઈ અવજોગ નથી.
રક્ષાબંધનના દિવસે નથી ભદ્રા
સામાન્ય રીતે ભદ્રા એ અતિ ખરાબ સમયગાળો માનવામાં આવે છે તે પછી ગુલી અને વિગેરે. જોકે આ દિવસે ભદ્રા ન હોવાથી સામાન્ય રીતે દિવસમાં કોઈ વિશેષ અવજોગ નથી.
રક્ષાબંધનનું શુભ મૂર્હુતઃ-
ભાઈને રક્ષા બાંધવા માટે 26 ઓગસ્ટના સવારે 7:43થી બપોરે 12:28 સુધીનો સમય સારો છે. આ મૂર્હુત 2.03 વાગ્યાથી 3.38 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5.25 પર પૂર્ણિમાં તિથિ પૂર્ણ થઇ જશે. જો કે, સૂર્યોદય વ્યાપિની તિથિ મનાવાને કારણે રાત્રે પણ રાખડી બાંધી શકાય છે.
સવારે 9.18 થી 10.53 સુધી લાભ
અમૃત 10.53 થી 12.28 કલાકે
બપોરે: 2.03 થી 3.38 શુભ
શુભ સાંજ: 6.48 થી 8.13
અમૃત સાંજે: 8.13 થી 9.38
રાત્રે: 9.38 થી 11.03 ચલ
આ સમયે ન બાંધવી જોઈએ રક્ષા
રાહુ કાળ સવારે: 5.13 થી 6.48
યમ બપોરે 12.28 થી 2.03
કાળ બપોરે 12.28 થી 2.03

No comments:

Post a Comment