Pages

Search This Website

Friday, March 22, 2019

જાગૃતતા / તમારા આધાર કાર્ડનો ક્યાં-ક્યાં ઉપયોગ થયો છે? માત્ર 6 સ્ટેપ્સમાં જાણી લો

જાગૃતતા / તમારા આધાર કાર્ડનો ક્યાં-ક્યાં ઉપયોગ થયો છે? માત્ર 6 સ્ટેપ્સમાં જાણી લો

યૂટિલિટી ડેસ્ક: આધાર કાર્ડનો ઉપયોગ જુદા-જુદા સરકારી અને બિનસરકારી કામો માટે થાય છે. મોબાઈલનું સિમ કાર્ડ લેવાથી માંડીને બેંક એકાઉન્ટ ખોલવા સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં આધાર કાર્ડની જાણકારીનો ખોટો ઉપયોગ થવાનો ખતરો જળવાયેલો છે. તમને ખબર હોવી જોઈએ કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં-ક્યાં થયો છે. આ અહેવાલ સાથે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે જાણી શકો કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે.

આ રીતે સમજો આખી પ્રોસેસ:
સ્ટેપ - 1
આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે તેની જાણ માટે તમારે યૂઆઇડીએઆઈ (UIDAI)ની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જવું પડશે

સ્ટેપ - 2
અહીં તમારે આધાર સર્વિસ ટેબ પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ - 3
આ ટેબ પર ક્લિક કરતા જ તમને આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી દેખાશે

સ્ટેપ - 4
તમારે અહીં 12 અંકનો આધાર કાર્ડ રજીસ્ટર કરવાનો રહેશે અને ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) સાથે સિક્યોરિટી કાર્ડ અથવા કેપ્ચા રજીસ્ટર કરવાનું રહેશે.

સ્ટેપ - 5
અહીં તમને ઓથેન્ટિકેશન હિસ્ટ્રી માટે કેટલાયે વિકલ્પ જેવા કે, બાયોમેટ્રિક્સ, ડેમોગ્રાફીક્સ, ઓટીપી જોવા મળશે. તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો. જો તમારે તમામ જાણકારીની માહિતી જોઈતી હોય તો તમારે તમામ (ALL)બટનને સિલેક્ટ કરી લો. આ પછી તમારે ડેટ રેન્જ એટલે કે ક્યારથી ક્યારની માહિતી જોઈએ છે તે સિલેક્ટ કરો અને અહીં તમારા મોબાઈલ પર આવેલ ઓટીપી એન્ટર કરીને સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ - 6
આ પછી તમારું આધાર કાર્ડ ક્યાં ઉપયોગમાં લેવાયું છે તેની જાણકારી મળી જશે.
Read More »

Monday, March 11, 2019

માવાનું વ્યસન છોડાવવા માટે આવી ગયો આર્યુર્વેદીક માવો

માવાનું વ્યસન છોડાવવા માટે આવી ગયો આર્યુર્વેદીક માવો 



માવો ખાવાના ફાયદા:

જુનાગઢઃ
માવો એટલે કે જેને લોકો મસાલો અને ફાકીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવા અનેક લોકો છે જેઓ વ્યસનમાં પોતાની આખી જિંદગી ખરાબ કરી નાંખે છે. વ્યસન મુક્તિની અનેક શિબિરો એટેન્ડ કર્યા બાદ પણ લોકો માવો ખાવાનું છોડી શકતા નથી.


જોકે જૂનાગઢના રહીશોએ તમાકુના વ્યસનનો અનોખો તોડ શોધ્યો છે. આ માવો એવો છે જેને ખાવાથી અનેક ફાયદા થાય છે. સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણકારી સાબિત થાય છે.

આ રીતે તૈયાર થાય છે હર્બલ માવો:

શરીર માટે નુકસાનકારક તમાકુવાળા માવાને બદલે જૂનાગઢના ગોકુલધામ સોસાયટીના સંચાલકોએ અનોખો હર્બલ માવો તૈયાર કર્યો છે. હર્બલ માવામાં સોપારી સહિત 11 પ્રકારનો ઔષધનો સમાવેશ કરાયો છે.



જેમાં હર્બલ માવો, સોપારી, સેકેલી વરિયારી, અજમાનો પાવડર, લવિંગ પાવડર, લિંડી પિપર, જેઠીમધ, કપૂર, ઈજમેટના ફૂલ, અમૃતબિંદુ, નાગરવેલ પાનના ટુકડા મિક્સ કરવામાં આવે છે.

આ માવાથી વ્યસન છોડી શકાય છે:

સૌરાષ્ટ્રમાં માવા ખાવા વાળા લોકોનું પ્રમાણ વધારે છે. જેની કુટેવ લોકો સરળતાથી છોડી શકતા નથી. આ માટે જૂનાગઢમાં રહેલા કાંતિલાલ જાંજરૂકિયાએ આ માવો તૈયાર કર્યો છે.


તેમનું કહેવું છે કે, અમે જેટલા લોકોને આ માવો આપ્યો તેમાંથી 90 ટકા લોકોએ તંમાકુવાળા માવા ખાવાનું છોડી દીધું છે, જેનાથી સાબિત થાય છે કે ભવિષ્યમાં પણ તંબાકુ છોડવા માટે આ હર્બલ માવાનો ઉપયોગ સફળ સાબિત થશે.

હર્બલ માવાનું વેચાણ:

હર્બલ માવાને શરૂઆતમાં 3 થી 7 એપ્રિલ સુધી દરેક વ્યક્તિને 2-2 પાર્સલ ફ્રી માં આપવામાં આવશે. ત્યાર બાદ એક કિલો માવાનું પેકેટ 360 રૂપિયાના ભાવે આપવામાં આવશે. જેમાંથી કુલ 70 માવા બનાવી શકાય છે.


તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક


જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…
Read More »