Pages

Search This Website

Sunday, August 19, 2018

સરકારે આખરે ATM સાથે સંબંધિત નવા નિયમો બહાર પાડ્યા

સરકારે આખરે ATM સાથે સંબંધિત નવા નિયમો બહાર પાડ્યા
સરકારે આખરે ATM સાથે સબંધિત નિયમો બહાર પાડયા છે. તેમાં કહેવાયું છે કે શહેરી વિસ્તારોમાં રાત્રે 9 વાગ્યા પછી ATMમાં કેશ નહીં ભરાય અને એક કેશ વેનમાં સિંગલ ટ્રીપમાં 5 કરોડ રૂપિયાથી વધુ નહીં હોય. એ ઉપરાંત કેશ વાન પર તહેનાત કર્મચારીઓને હુમલા, ગુનાખોરોના વાહનોનો પીછો કરવો અને અન્ય જોખમને પહોંચી વળવા માટે તાલીમ અપાશે.
ગૃહમંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે રોકડની હેરફેર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની પૃષ્ઠભૂમિની તપાસ માટે તેમનો આધાર વેરિફિકેશન પણ કરાવવું પડશે. નિયમોમાં કહેવાયું છે કે ગ્રામીણ વિસ્તારોમાં સાંજે 6 પછી ATMમાં નાણાં ભરવામાં નહીં આવે અને એક ATMમાં લોડ કરવા માટે રોકડને આગલા દિવસે કે દિવસની શરૂઆતમાં બેન્કમાંથી એકત્ર કરી લેવાશે.
કેશવાન પણ વધુ સુરિક્ષત બનાવવા આદેશ
તમામ કેશ વાનમાં જીએસએમ આધારિત ઓટો ડાયલરની સાથે સિક્યોરિટી એલાર્મ અને મોટરાઇઝડ સાયરન લગાવાશે.એસઆઇએસના એમડી રિતુરાજસિંહાએ કહ્યું કે આ નિયમ ચોક્કસ રીતે ઇન્ડસ્ટ્રીને બદલી નાંખે એવા નિયમ છે.

No comments:

Post a Comment