Pages

Friday, May 25, 2018

માત્ર રૂ. 990માં ખરીદો Samsungનો આ લેટેસ્ટ સ્માર્ટફોન

માત્ર રૂ. 990માં ખરીદો Samsungનો આ લેટેસ્ટ સ્માર્ટફોન



Samsungએ તાજેતરમાં જ ભારતમાં Galaxy J6, Galaxy J8, Galaxy A6 અને Galaxy A6+ ને લોન્ચ કરી દીધા છે. હાલમાં આ સ્માર્ટફોનમાં સૌથી કિફાયતી Galaxy J6 છે અને તેની 13,990 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે ભારતમાં ઉપલબ્ધ થશે. ગ્રાહકો આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે અને ગ્રાહકો આ સ્માર્ટફોનને 990 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાશે.

જોકે 999 રૂપિયામાં આ સ્માર્ટફોન ખરીદવામાં તમારે જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરવાનો રહેશે. ફ્લિપકાર્ટ  આ સ્માર્ટફોનને એક્સચેન્જ ઑફર હેઠળ 13000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યુ છે. પરંતુ ધ્યાન રહે 13000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમારા જૂના સ્માર્ટફોન પર નિર્ભર કરશે. જોકે તમામ સ્માર્ટફોનની વેલ્યૂ એટલી વધારે નથી હોતી.

જો તમે  13,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવવામાં સફળ થાઓ છો તો Galaxy J6ને તમે માત્ર 990 રૂપિયામાં ખરીદી શકો છો.  આ સિવાય ICICI બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી શૉપિંગ કરવા પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. 

Galaxy J6ના સ્પેસિફિકેશન્સ:

ડ્યુઅલ સિમ સપોર્ટ કરનાર Galaxy J6 એન્ડ્રોઇડ 8.0 ઑરિયો બેસ્ડ Samsung એક્સપિરિયન્સ પર રન કરશે. આ સ્માર્ટફોનમાં  18.5:9 રેશ્યોની સાથે 5.6- ઇંચ HD+ સુપર AMOLED  ઇનફિનિટી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન 3GB અને 4GB રેમની સાથે Exynos 7870નું પ્રોસેસર આપવામાં આવ્યુ છે, જેની ઇન્ટરનલ મેમરી 32GB અને 64GB નો ઑપ્શન આપવામાં આવ્યો છે, જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાશે.

કેમેરા સેક્શનની જો વાત કરવામાં આવે Galaxy J6 માં રિયર 13 મેગાપિક્સલનો છે, જ્યારે ફ્રન્ટમાં 8 મેગાપિક્સલની કેમેરો છે. બંનેની તરફ LED ફ્લેશ લાઇટ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે  4G VoLTE , Wi-Fi,બ્લૂટૂથ, GPS/ A-GPS અને એક 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે, જેની બેટરી  3,000mAhની છે. 
Read More »

Saturday, May 12, 2018

Navneet Prakashan Bharti

Navneet Prakashan Bharti

નવનીત પ્રકાશન, અમદાવાદ
પ્રકાશન માટે નીચેની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવે છે.
➠ લેખકો/પરામર્શકો
➠ પ્રૂફ રીડર
➠ ગ્રાફિકસ ડિઝાઇનર
(સંદર્ભ- ગુજરાત સમાચાર તા.5/5/2018 થી 7 દિવસ સુધીમાં અરજી કરવી.)
Notification Click Here
Read More »

Thursday, May 3, 2018

રાજ્યમાં ૧ લાખ યુવાનોને રૂ.૩ હજારથી ૪૫૦૦ સ્ટાઇપેન્ડ ચૂકવાશે : રૂપાણી

રાજ્યમાં ૧ લાખ યુવાનોને રૂ.૩ હજારથી ૪૫૦૦ સ્ટાઇપેન્ડ ચૂકવાશે : રૂપાણી

ભરૂચમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે મુખ્ય મંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાનું લોન્ચિંગ કરવામાં આપ્યું છે. એપ્રિન્ટિસશીપ યોજના હેઠળ રાજ્યના યુવાઓને રોજગારી મળે તે રહે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિઝીટલ પોર્ટલનું પણ લોકાર્પણ કર્યુ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ કે, રાજ્યમાં યુવાનોને ૩ હજારથી ૪૫૦૦ રૂપિયાનું સ્ટાયપેન્ડ આપવામાં આવશે. રાજ્યના ૧ લાખ યુવાઓને યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે યુવાનો ઓનલાઈન નોંધણી કરાવી શકશે. સરકારે યોજના માટે ઓનલાઈન વેબ પોર્ટલ પણ શરૂ કર્યું છે. પોર્ટલના આધારે ઉમેદવાર પોતાની પંસદગી પ્રમાંણે નોકરી પસંદ કરશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યુ કે, અમારા પર આરોપ મુકનારાઓએ જીભ સંભાળીને વાત કરવી જોઈએ. કોંગ્રેસના શાસનમાં બેરોજગારીનો રાફડો ફાટ્યો હતો. કોંગ્રેસે યુવાનોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આ વાયદાને કોંગ્રેસે પુરો કર્યો નથી. મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યુ કે, સરકારે અયોધ્યામાં રામ, યુવાનોને કામ અને ખેડૂતોને દામ આપવાનો નવો નારો આપ્યો છે. ત્યારે આ નારાને પુરો કરવા સરકાર કટ્ટીબદ્ધ છે.
Dailyhunt
Read More »

સરકારી સ્કૂલોમાં 20 હજાર શિક્ષકની જગ્યા ખાલી, ક્યારે થશે ભરતી?

સરકારી સ્કૂલોમાં 20 હજાર શિક્ષકની જગ્યા ખાલી, ક્યારે થશે ભરતી?


ગાંધીનગરઃ સરકારી શાળામાં શિક્ષકની ભરતી માટે લેવાતી ટેટની પરીક્ષા ઉંચા મેરીટે પાસ કરી હોવાને 8 મહિના થયા હોવા છતાં શિક્ષકની ભરતી ન પડતા 33 જીલ્લાના યુવાનો ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા. આ યુવાનોએ સરકારને વિનંતી કરી હતી કે અત્યાર સુધી તેઓ ભરતી માટે 14 વખત આવેદન પત્ર આપી ચૂક્યા છે.

અત્યારે સરકારના જણાવ્યા મુજબ સરકારી સ્કૂલમાં 20 હજાર શિક્ષકની ખાલી જગ્યાઓ પડી છે તો તેની સામે ભરતી કરવામાં આવે. અને જે 10 દિવસમાં ભરતી નહી થાય તો ઉપવાસ પર ઉતરવાની ચિમકી પણ આપવામાં આવી હતી.

Read More »

LICની આ 4 પોલિસી આપશે ડબલ બેનિફિટ, માત્ર એકવાર રોકવાના રહેશે પૈસા

LICની આ 4 પોલિસી આપશે ડબલ બેનિફિટ, માત્ર એકવાર રોકવાના રહેશે પૈસા


નવી દિલ્હીઃ LIC દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. જોકે તેના કેટલાક પ્લાન એવા છે જેમાં ડબલ ફાયદો થાય છે. એક તો તેના રોકાણ પર ઈન્કમ ટેકસ બચે છે, બીજો ફાયદો તે છે તેમાં એક વાર જ રોકાણ કરવાનું હોય છે. તેના કારણે LICના આ પ્લાન ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યાં છે. LICના કાનપુર ક્ષેત્રના ડેવલોપમેન્ટ ઓફિસર અવધેશ કુમાર રાજપૂતના જણાવ્યા અનુસાર, 31 માર્ચ પહેલા લોગ ઈન સિંગલ પ્રીમયમ પ્લાનમાં રોકાણ કરીને સંપૂર્ણ ફાયદો ઉઠાવી શકાય છે. 

સિંગલ ડાઉનપેમેન્ટ પ્લાન

LICની આ યોજનામાં માત્ર એક જ વાર પ્રીમયમ આપવાનું હોય છે. આ યોજનાને 90 દિવસના બાળકથી લઈને 65 વર્ષની ઉંમરના લોકો લઈ શકે છે. આ પ્લાન 10 વર્ષ માટે મળે છે. તેમાં ન્યુનતમ 50 હજાર રૂપિયાનો વીમો લઈ શકાય છે. જોકે અધિકતમની કોઈ સીમા નથી. જો કોઈ વ્યક્તિ ન્યુનતમ 50 હજારનો વીમો લે છે તો તેને 40 હજાર રૂપિયા પ્રીમયમ આપવાનું રહેશે. બાદમાં પોલિસી પુરી થવા પર 75થી 80 હજાર રૂપિયા જેટલા તેમને પરત મળી જાય છે. જો વચ્ચે વીમો ધરાવનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો નોમિનીને 50 હજાર રૂપિયા મળશે.

જીવન અક્ષય પેન્શન પ્લાન 

આ પ્લાન અંતર્ગત જીવનભર પેન્શન મેળવી શકાય છે અને બાદમાં નોમિનીને પ્રીમયમના રૂપમાં જમા પૈસા પરત મળી જશે. આ અંગેની વધુ વિગતો એલઆઈસીની ઓફિશિયલ સાઈટ પર જઈને જોઈ શકાય છે.

સિંગલ મની બેક પોલિસી

એલઆઈસીની આ યોજનામાં ત્રણ વિકલ્પની સાથે રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણકારને 9 વર્ષ, 12 વર્ષ અને 15 વર્ષનો વિકલ્પ મળે છે. આ તમામ વિકલ્પોમાં ન્યુનતમ વિમો લેવો જરૂરી હોય છે. જોકે અધિકતમની કોઈ સીમા નથી.

9 વર્ષનું વિકલ્પનું વિવરણ

આ વિકલ્પમાં રોકાણ કરનારે ન્યુનતમ 28 હજાર રૂપિયાનું પ્રીમયમ આપવું પડશે અને 40 હજાર રૂપિયાનો વીમો મળે છે. આ યોજના અંતર્ગત ત્રીજા અને છઠ્ઠા વર્ષમાં 15-15 ટકા પૈસા મની બેકના રૂપમાં પરત મળે છે. આ પૈસા લગભગ 6-6 હજાર રૂપિયા હોય છે. 9 વર્ષમાં 16 હજાર રૂપિયા અને બોનસ મળે છે. સરેરાશ આ વીમો લેનારને કુલ બધુ થઈને લગભગ 45 હજાર રૂપિયા પરત મળે છે.

12 વર્ષનો વિકલ્પ

આ વિકલ્પમાં ન્યુનતમ 50 હજાર રૂપિયાનો વીમો મળે છે. જેના માટે 40 હજાર રૂપિયા પ્રીમયમ આપવાનું હોય છે. તેમાં 3-6-9માં વર્ષમાં મની બેકના રૂપમાં 15 ટકા પૈસા પરત મળે છે. 12માં વર્ષ બધા જ પૈસા પરત મળે છે. 

15 વર્ષનો વિકલ્પ

આ યોજનામાં ન્યુનતમ 70 હજાર રૂપિયાનો વીમા લેવાનો હોય છે. જેના માટે 50 હજાર રૂપિયાનું પ્રીમયમ આપવાનું હોય છે. આ યોજનામાં 3-6-9 અને 12માં વર્ષમાં દરેક વખતે 15-15 ટકા પૈસા પરત મળે છે. અંતમાં 15 વર્ષમાં બચેલા પૈસા પરત મળી જાય છે. રોકાણકારને કુલ મેળવીને અંત સુધીમાં લગભગ 1.40 લાખ રૂપિયા મળી જાય છે.

LICની આ 4 પોલિસી આપશે ડબલ બેનિફિટ, માત્ર એકવાર રોકવાના રહેશે પૈસા

Divyabhaskar.com | Mar 24,2018 1:06 PM IST
  • LICની આ 4 પોલિસી આપશે ડબલ બેનિફિટ, માત્ર એકવાર રોકવાના રહેશે પૈસા
  • LICની આ 4 પોલિસી આપશે ડબલ બેનિફિટ, માત્ર એકવાર રોકવાના રહેશે પૈસા
  • LICની આ 4 પોલિસી આપશે ડબલ બેનિફિટ, માત્ર એકવાર રોકવાના રહેશે પૈસા
    +3
નવી દિલ્હીઃ LIC દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. જોકે તેના કેટલાક પ્લાન એવા છે જેમાં ડબલ ફાયદો થાય છે. એક તો તેના રોકાણ પર ઈન્કમ ટેકસ બચે છે, બીજો ફાયદો તે છે તેમાં એક વાર જ રોકાણ કરવાનું હોય છે. તેના કારણે LICના આ પ્લાન ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યાં છે. LICના કાનપુર ક્ષેત્રના ડેવલોપમેન્ટ ઓફિસર અવધેશ કુમાર રાજપૂતના જણાવ્યા અનુસાર, 31 માર્ચ પહેલા લોગ ઈન સિંગલ પ્રીમયમ પ્લાનમાં રોકાણ કરીને સંપૂર્ણ ફાયદો ઉઠાવી શકાય છે. 

સિંગલ ડાઉનપેમેન્ટ પ્લાન

LICની આ યોજનામાં માત્ર એક જ વાર પ્રીમયમ આપવાનું હોય છે. આ યોજનાને 90 દિવસના બાળકથી લઈને 65 વર્ષની ઉંમરના લોકો લઈ શકે છે. આ પ્લાન 10 વર્ષ માટે મળે છે. તેમાં ન્યુનતમ 50 હજાર રૂપિયાનો વીમો લઈ શકાય છે. જોકે અધિકતમની કોઈ સીમા નથી. જો કોઈ વ્યક્તિ ન્યુનતમ 50 હજારનો વીમો લે છે તો તેને 40 હજાર રૂપિયા પ્રીમયમ આપવાનું રહેશે. બાદમાં પોલિસી પુરી થવા પર 75થી 80 હજાર રૂપિયા જેટલા તેમને પરત મળી જાય છે. જો વચ્ચે વીમો ધરાવનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો નોમિનીને 50 હજાર રૂપિયા મળશે.

જીવન અક્ષય પેન્શન પ્લાન 

આ પ્લાન અંતર્ગત જીવનભર પેન્શન મેળવી શકાય છે અને બાદમાં નોમિનીને પ્રીમયમના રૂપમાં જમા પૈસા પરત મળી જશે. આ અંગેની વધુ વિગતો એલઆઈસીની ઓફિશિયલ સાઈટ પર જઈને જોઈ શકાય છે.

સિંગલ મની બેક પોલિસી

એલઆઈસીની આ યોજનામાં ત્રણ વિકલ્પની સાથે રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણકારને 9 વર્ષ, 12 વર્ષ અને 15 વર્ષનો વિકલ્પ મળે છે. આ તમામ વિકલ્પોમાં ન્યુનતમ વિમો લેવો જરૂરી હોય છે. જોકે અધિકતમની કોઈ સીમા નથી.

9 વર્ષનું વિકલ્પનું વિવરણ

આ વિકલ્પમાં રોકાણ કરનારે ન્યુનતમ 28 હજાર રૂપિયાનું પ્રીમયમ આપવું પડશે અને 40 હજાર રૂપિયાનો વીમો મળે છે. આ યોજના અંતર્ગત ત્રીજા અને છઠ્ઠા વર્ષમાં 15-15 ટકા પૈસા મની બેકના રૂપમાં પરત મળે છે. આ પૈસા લગભગ 6-6 હજાર રૂપિયા હોય છે. 9 વર્ષમાં 16 હજાર રૂપિયા અને બોનસ મળે છે. સરેરાશ આ વીમો લેનારને કુલ બધુ થઈને લગભગ 45 હજાર રૂપિયા પરત મળે છે.

12 વર્ષનો વિકલ્પ

આ વિકલ્પમાં ન્યુનતમ 50 હજાર રૂપિયાનો વીમો મળે છે. જેના માટે 40 હજાર રૂપિયા પ્રીમયમ આપવાનું હોય છે. તેમાં 3-6-9માં વર્ષમાં મની બેકના રૂપમાં 15 ટકા પૈસા પરત મળે છે. 12માં વર્ષ બધા જ પૈસા પરત મળે છે. 

15 વર્ષનો વિકલ્પ

આ યોજનામાં ન્યુનતમ 70 હજાર રૂપિયાનો વીમા લેવાનો હોય છે. જેના માટે 50 હજાર રૂપિયાનું પ્રીમયમ આપવાનું હોય છે. આ યોજનામાં 3-6-9 અને 12માં વર્ષમાં દરેક વખતે 15-15 ટકા પૈસા પરત મળે છે. અંતમાં 15 વર્ષમાં બચેલા પૈસા પરત મળી જાય છે. રોકાણકારને કુલ મેળવીને અંત સુધીમાં લગભગ 1.40 લાખ રૂપિયા મળી જાય છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, LICની પોલિસી વિશે...
 
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમનેFacebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These four policies give you double benefits 
(Read News in Gujarati from Divya Bhaskar)
2 of 4
જીવન ઉત્કર્ષ સિંગલ પ્રીમયમ પ્લાન

LICએ જીવન ઉત્કર્ષ નામથી સિંગલ પ્રીમયમ પ્લાન બહાર પાડયો છે. આ અંગેની વધુ માહિતી તમને એલઆઈસીની વેબસાઈટ પરથી મળશે.

કેટલો મળશે ન્યુનતમ સમ એશ્યોર્ડ

તેમાં પૈસા લગાવનારને ન્યુનતમ 75 હજાર રૂપિયાનો સમ એશ્યોર્ડ મળશે.

લોન પણ લઈ શકો છો તેના બદલામાં

જો કોઈને વચ્ચે પૈસાની જરૂર પડી તો તે તેના બદલામાં લોન પણ લઈ શકે છે. જેથી તેને આર્થિક મદદ મળી રહે.

ફ્રી લુક પિરિયડનો લાભ મળશે

જો કોઈએ ભૂલથી પોલિસીની પસંદગી કરી લીધી છે તો તેને 15 દિવસનો ફ્રી લુક પિરિયડનો લાભ પણ મળશે. આ દરમિયાન તે પોલિસીને પરત કરી શકે છે.

ફાયદો એક નજરમાં

જો કોઈ સ્વસ્થ વ્યક્તિ 25 વર્ષની ઉંમરમાં આ પ્લાનને લે છે અને ન્યુનતમ 75 હજાર રૂપિયાની બેસિક સમ એશ્યોર્ડ લે છે તો તેને 41242 રૂપિયાનું પ્રીમયમ આપવાનું રહેશે. આ પ્લાન તેને 12 વર્ષ માટે મળશે.
Read More »

Thursday, April 26, 2018

બિન અનામત જ્ઞાતિઓ માટે સરકારનો નિર્ણય, મળી શકશે આ અનામત યોજનાઓમાં લાભ...

બિન અનામત જ્ઞાતિઓ માટે સરકારનો નિર્ણય, મળી શકશે આ અનામત યોજનાઓમાં લાભ...




ગાંધીનગરઃ સરકાર દ્વારા બિન અનામત જ્ઞાતિઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારે યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરી છે. અનામત કેટેગરીમાં લાભ બિન અનામત જ્ઞાતિઓને પણ મળશે.

સરકાર બિન અનામત જ્ઞાતિઓને 35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરી રહી છે. બિન અનામત આયોગ સરકારને ભલામણ કરશે. ઉચ્ચ અભ્યાસ માટે લોન તથા સરકારી નોકરીઓમાં લાભ અપાશે. 2થી 4 ટકામાં શૈક્ષણિક લોન આપવાની વિચારણા કરાઇ રહી છે.

વય મર્યાદામાં છૂટછાટ, મહિલા કેટેગરીમાં પણ લાભ મળશે. સબસીડીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને લાભ મળશે. બિન અનામત જ્ઞાતિઓ શું ઇચ્છે છે તેનો આયોગ એક મહિનામાં સર્વે કરાવશે. જિલ્લા દીઠ 500થી 600 સેમ્પલ લેવામાં આવશે.

ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણોમાં ભાજપે પછડાટ ખાધા બાદ હવે અેક મહત્તવના નિર્ણય તરફ સરકાર અાગળ વધી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને અેક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ગામડામાં ભાજપની પકકડ ઘટતી જાય છે. શહેરી મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગામડાના મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. ભાજપે હવે તમામ અાંદોલનોને અેક સાથે દાબી દેવા માટે માસ્ટરપ્લાન ઘડ્યો છે. જે અાગામી સમયમાં અમલમાં અાવી શકે છે. અા મામલે અાજે સાંજે કદાચ અધિકારીક જાહેરાત પણ ભાજપ દ્વારા થઈ શકે છે.

35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા

લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લે તેવી સંભાવના છે. બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારનો મોટો નિર્ણય હોઈ શકે છે. અનામત કેટેગરીમાં જે યોજનાનો લાભ મળે છે એ લાભ બિન અનામત જ્ઞાતિઓ ને પણ મળી શકે છે. બિન અનામત જ્ઞાતિઓને 35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરાઈ રહી છે. બિન અનામત આયોગ સરકારને  ભલામણ કરે તેવી સંભાવના છે.

3 માસમાં બિન અનામત આયોગ સરકાર ને ભલામણ કરશે

વિદેશ ભણવા માટેની શૈક્ષણિક લોન, ઉચ્ચ અભ્યાસ માટેની લોન તેમજ સરકારી નોકરીઓમાં લાભ અપાશે. 2 થી 4 ટકામાં શૈક્ષણિક લોન આપવાની વિચારણા ચાલી રહી છે. વય મર્યાદા માં છૂટછાટ અને મહિલા કેટેગરીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને પણ લાભ મળી શકે છે. સરકારની યોજના અને સબસીડીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને પણ  લાભ મળી શકે તેવી સંભાવના છે. બિન અનામત આયોગ થોડા દિવસોમાં સરકારને ભલામણ કરે તેવી સંભાવના છે. 3 માસમાં બિન અનામત આયોગ સરકાર ને ભલામણ કરશે તે બાદ અાગામી કાર્યવાહી શરૂ થવાની શક્યતા છે.

બિન અનામત આયોગ એક મહિનામાં સરવે કરે તેવી શકયતાઅો

સરકાર પણ આ ભલામણોનો ત્વરિત અમલ કરવાના મૂડમાં છે. બિન અનામત આયોગ ભલામણ કરે અને સરકાર ની મંજૂરી મળે એટલે બિન અનામત નિગમ તેનો અમલ કરશે.  બિન અનામત જ્ઞાતિઓ શું ઈચ્છે છે એ માટે બિન અનામત આયોગ એક મહિનામાં સરવે કરે તેવી શકયતાઅો છે. જિલ્લા દીઠ 500 થી 600 સેમ્પલ લેવામાં આવશે. ત્યાર બાદ બિન અનામત જ્ઞાતિઓ ની ખરેખર શું જરૂરિયાત છે તે નક્કી કરાશે. જો અા નિર્ણયને મંજૂરી મળે તો અત્યારસુધી ચાલતા તમામ અાંદોલનો પર પડદો પડી શકે છે. લોકસભાની ચૂંટણીમાં રૂપાણી સરકારનો અા માસ્ટરપ્લાન સાબિત થઈ શકે છે. હવે લોકસભાની ચૂંટણીની ઘડીઅો ઘડાઈ રહી છે ત્યારે અા નિર્ણય ભાજપને ફાયદો કરાવી શકે છે.

બિનઅનામત આયોગના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ સંબોધી

રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત આયોગ અંતર્ગત સવર્ણોને વિવિધ લાભ આપવાની જાહેરાત બાદ બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજકોટમાં ચેરમેન હંસરાજ ગજેરાએ જણાવ્યું હતું કે, અનામતના લાભથી વંચિત અન્ય જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને લાભ આપવા એ સરકારની પ્રાથમિકતા છે. સરકારની 35 જેટલી વિવિધ યોજનાઓ છે. જે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને લાભકર્તા છે. આ મુદ્દે અભ્યાસ કર્યા બાદ માળખાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે અને સરકારને મોકલી આપવામાં આવશે સાથે જ વિદ્યાર્થીઓ માટે જરૂરી યોજનાઓ પણ ઝડપથી કાર્યરત કરવામાં આવશે તેમ હંસરાજ ગજેરાએ વધુમાં જણાવ્યું હતું.
Read More »

Wednesday, April 25, 2018

હવે 'આ' લોકો નહીં ચલાવી શકે WHATSAPP, કંપનીએ કર્યા બે મોટા બદલાવ

હવે 'આ' લોકો નહીં ચલાવી શકે WHATSAPP, કંપનીએ કર્યા બે મોટા બદલાવ


હવે 'આ' લોકો નહીં ચલાવી શકે Whatsapp, કંપનીએ કર્યા બે મોટા બદલાવ

વોટ્સએપ પોતાના ફિચર્સમાં સતત ફેરફાર કરતું રહે છે

નવી દિલ્હી : વોટ્સએપ નિયમિત સમયાંતરે પોતાના ફિચર્સમાં ફેરફાર કરતું રહે છે. હાલમાં કંપનીએ બે મોટા બદલાવ કર્યા છે તેમજ પ્રાઇવસીને મજબૂત બનાવવા માટે પગલાં લીધા છે. ફેસબુક ડેટા લીક પછી યુરોપમાં આવતા મહિનાથી જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) લાગુ થવાનું છે. આ 25 મેથી લાગુ થઈ શકે છે.  આ પહેલાં વોટ્સએપે પોતાની ટર્મ અને પ્રાઇવેસી પોલીસી અપડેટ કરી છે. કંપનીએ પોતાની બ્લોગ પોસ્ટમાં આ વાતની જાણકારી આપી છે. વોટ્સએપે આપેલી માહિતી પ્રમાણે આ અપડેટ પછી યુઝર પછી કોઈ પર્સનલ માહિતી કે નવો અધિકાર માગવામાં નહીં આવે. 
ઉંમરમાં બદલાવ
વોટ્સએપે પ્રાઇવસી સેટિંગ સિવાય બીજા બે બદલાવ કર્યા છે. યુરોપના દેશોમાં વોટ્સએપે યુઝરની ન્યુનતમ વયમર્યાદા 16 વર્ષ કરી દેવામાં આવી છે. આ સિવાય પહેલીવાર હવે યુઝર એ ડેટાને ડાઉનલોડ કરી શકશે જે વોટ્સએપ સાથે શેયર કરી રહ્યો છે. આવતા કેટલાક અઠવાડિયામાં વોટ્સએપનું આ ફિચર તમામ યુઝર સુધી પહોંચી જશે. આ સિવાય કંપનીના વેબપેજ પર વોટ્સએપ પર તમારો ડેટા સલામત રાખવાની ટિપ્સ પણ આપવામાં આવી છે.
ક્યો ડેટા સેવ કરે છે વોટ્સએપ?
વોટ્સએપે ઉલ્લેખ કર્યો છે કે એ યુઝર્સના એ ડેટાને ભેગો કરે છે જે એની સર્વિસ સાથે જોડાયેલો હોય છે. વોટ્સએપ યુઝરના મેસેજ કે ફાઇલ સેવ નથી કરતું અને કોલ લોગ પણ સ્ટોર નથી કરવામાં આવતો. વોટ્સએપ યુઝરનેમ, રિપોર્ટનો સમય, ઓનલાઇનનો સમય, ઓફલાઇનનો સમય, આઇપી એડ્રેસ, ફોન ટાઇપ, ગ્રૂપના નામ, ટર્મ ઓફ સર્વિસ તેમજ બ્લોક યુઝરની જાણકારી સ્ટોર થતી હોય છે.
થશે બીજા બદલાવ
વોટ્સએપ હવે એન્ડ્રોઇડ યુઝર માટે નવું ફિચર લાવવાનું છે. આ ફિચરને વોટ્સએપ બીટા વર્ઝન પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે વોટ્સએપ બીટા વર્ઝન 2.18.123 પર સેવ્ડ વોઇસ મેસેજનું ફિચર ટેસ્ટ કરી રહ્યું છે. આ ફિચર વોઇસ મેસેજને સેવ કરવા માટે છે. આ ફિચરની મદદથી તમે વોઇસ મેસેજ કોઈને મોકલતા પહેલાં સેવ કરી શકશો.
Read More »

Tuesday, April 24, 2018

30 વર્ષ સુધી આ બ્રાન્ડેડ AC ફ્રીમાં આપશે ઠંડી હવા, નહિ આવે 1 રૂપિયો વીજળી બિલ | VIDEOCON SOLAR AC DETAIL

30 વર્ષ સુધી આ બ્રાન્ડેડ AC ફ્રીમાં આપશે ઠંડી હવા, નહિ આવે 1 રૂપિયો વીજળી બિલ | VIDEOCON SOLAR AC DETAIL

30 વર્ષ સુધી આ બ્રાન્ડેડ AC ફ્રીમાં આપશે ઠંડી હવા, નહિ આવે 1 રૂપિયો વીજળી બિલ | VIDEOCON SOLAR ACDETAIL

 

યુટિલિટી ડેસ્કઃ હાલના દિવસોમાં એર કન્ડીશનર(AC)ની મોટી રેન્જ આવી રહી છે. તેમાં ઘણ કંપનીઓ સામેલ છે. તેમાં 2 સ્ટારથી 5 સ્ટાર સુધીના AC સામેલ છે.  એર કન્ડીશનરના ઉપયોગથી વિજળીનું બિલ સૌથી વધુ આવે છે. જો એસીનું રેટિંગ 5 સ્ટાર પણ હોય તો પણ વિજળીના બિલમાં કોઈખાસ ફરક પડતો નથી. ઈલેકટ્રિક ACની વચ્ચે વિડિયોકોન તેનું હાઈબ્રિડ સોલર એસી લઈને આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેમાં કોઈ પણ પ્રકારનું વિજળીનું બિલ આવતું નથી.

યુટિલિટી ડેસ્કઃ હાલના દિવસોમાં એર કન્ડીશનર(AC)ની મોટી રેન્જ આવી રહી છે. તેમાં ઘણ કંપનીઓ સામેલ છે. તેમાં 2 સ્ટારથી 5 સ્ટાર સુધીના AC સામેલ છે.  એર કન્ડીશનરના ઉપયોગથી વિજળીનું બિલ સૌથી વધુ આવે છે. જો એસીનું રેટિંગ 5 સ્ટાર પણ હોય તો પણ વિજળીના બિલમાં કોઈખાસ ફરક પડતો નથી. ઈલેકટ્રિક ACની વચ્ચે વિડિયોકોન તેનું હાઈબ્રિડ સોલર એસી લઈને આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેમાં કોઈ પણ પ્રકારનું વિજળીનું બિલ આવતું નથી.
🔹નહિ આવે વિજળીનું બિલ
કંપનીન એવા દાવો છે કે એર કન્ડીશનર સંપૂર્ણ રીતે હાઈબ્રિડ અને સોલર એનર્જીથી ચાલે છે. એટલે કે એસીથી વિજળીનું બિલ નહિ આવે. કંપની એસીની સાથે સોલર પેનેલ પ્લેટ અને DC અને AC કન્વર્ટર સાથે આપશે. એટલે કે તમારે તેના માટે અલગથી પૈસા ખર્ચ કરવા પડશે નહિ. આ પેનેલ કોઈ પણ કલાયમેટ કન્ડીશનમાં કામ કરશે અને તેનું મેન્ટેનન્સ પણ ખૂબ જ ઓછું છે. કંપનીએ આ કન્ડીશનરને 2 અલગ-અલગ કેપેસિટીમાં નીકાળ્યું છે. તેમાં 1 ટન અને 1.5 ટન AC સામેલછે.
🔹આટલી છે કિંમત:
વિડિયોકોને 1 ટન અને 1.5 ટન કેપેસિટી વાળું AC નીકાળ્યું છે. તેમાં 1 ટન વાળું કન્ડીશનરની કિંમત 1.39 લાખ રૂપિયા છે. કંપની આ કિંમતમાં તમને સોલર પેનલ પ્લેટ અને DCમાંથી AC કન્વર્ટર આપે છે. આ AC તે જ સમયે કામ કરશે જયારે સૂર્ય પ્રકાશ હશે. રાતે તે કામ કરશે નહિ. એવામાં તેના માટે તમારે 1 લાખ રૂપિયાની બેટરી અલગથી ખરીદવાની રહેશે. જે આખી રાત તમારા એર કન્ડીશનરને ચાલુ રાખશે. કંપનીનું કહેવું છે કે આટલા ખર્ચમાં તમે 25થી 30 વર્ષ સુધી ફ્રીમાં ઠંડી હવા લઈ શકો છો.
Read More »